પાકિસ્તાને ભારતીય એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને શુક્રવારે સાંજે ભારતને સુપરત કર્યા હતા.
અગાઉ ગુરુવારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને સંસદમાં પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન શાંતિના પ્રતિક તરીકે ભારતીય એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદનને છોડશે.

ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની ટ્વિટમાં જણાવ્યું હતું કે દેશને તમારી બહાદુરી પર ગર્વ છે.
કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પણ જણાવ્યું હતું કે તેમણે સમગ્ર દેશને ગર્વ અપાવ્યો છે.
અગાઉ બુધવારે ભારત તથા પાકિસ્તાનના ફાઇટર જેટ્સ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનને પકડ્યાં હતા.

પાકિસ્તાન આર્મ ફોર્સના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફ્ફુરે જણાવ્યું હતું કે, વિંગ કમાન્ડર અભિનંદન સાથે સૈન્ય - નિતી અનુસાર વર્તન કરાઇ રહ્યું છે.

જોકે, પાકિસ્તાનના કાર્યકારી હાઇ કમિશ્નર સાથેની પોતાની મિટીંગમાં વિદેશ મંત્રાલયે વિંગ કમાન્ડર અભિનંદનને તાત્કાલિક અને સુરક્ષિત રીતે ભારતને સુપરત કરવાની માંગ કર્યા બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને શાંતિના પ્રતિક તરીકે અભિનંદનને ભારત પરત મોકલવાની જાહેરાત કરી હતી.
Follow SBS Gujarati on Facebook.

