સ્નાતક વિદ્યાર્થીઓમાં બેરોજગારીનું પ્રમાણ વધે તેવી શક્યતા

જે વિદ્યાર્થીઓ આ વર્ષે તેમની સ્નાતકની ડિગ્રી મેળવી રહ્યા છે તેમને આગામી વર્ષોમાં કોરોનાવાઇરસના કારણે આર્થિક અને સામાજિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

In this photo provided by Geoff Livingston, Georgetown University students and others gather for their own graduation celebration at the National Mall in Washington, Saturday, May 16, 2020. (Geoff Livingston via AP)

University students and others gather for their own graduation celebration . Source: Geoff Livingston

દર વર્ષે ઓસ્ટ્રેલિયામાં 340,000 વિદ્યાર્થીઓ સ્નાતકની પદવી મેળવે છે તેમાંથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 33 ટકા જેટલી હોય છે.

વર્તમાન સમયમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કોરોનાવાઇરસની અસર તેમની કારકિર્દી પર પડે તેવી શક્યતા છે.

ઓસ્ટ્રેલિયન્સને નોકરીની પ્રથમ તક

કોરોનાવાઇરસની મહામારીના કારણે ઓસ્ટ્રેલિયામાં વિવિધ વેપાર – ઉદ્યોગોનો ફટકો પડ્યો છે. જેના કારણે આગામી સમયમાં ઓસ્ટ્રેલિયન્સને જ નોકરીની પ્રથમ તક રહેશે તેવું આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીનું અનુમાન છે.

મેલ્બર્ન યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઇન કન્સ્ટ્રક્શન એન્ડ મેનેજમેન્ટનો અભ્યાસ પૂરો કરનારા ડેડી ક્રિસ્ટીયાનોના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં બાંધકામ ક્ષેત્રમાં નોકરીની ઘણી વિશાળ તકો રહેલી છે પરંતુ કોરોનાવાઇરસની મહામારી બાદ વ્યવસાયો ઓસ્ટ્રેલિયાના નાગરિકો તથા પર્મેનન્ટ રેસીડેન્ટ્સને ટેમ્પરરી માઇગ્રન્ટ્સ કરતા પ્રથમ તક આપશે.

International students in Australia (Image representational only)
Source: Flickr

યુવાનોને કોરોનાવાઇરસથી સર્જાયેલી પરિસ્થિતીની સૌથી વધુ અસર

એક અભ્યાસના તારણ પ્રમાણે, કોરોનાવાઇરસના કારણે ઉદભવેલી પરિસ્થિતીની સૌથી વધુ અસર યુવાનો પર પડશે. આગામી છ મહિનામાં જો કોઇ પગલાં નહીં લેવામાં આવે તો જે યુવાનો તાજેતરમાં જ સ્નાતક થયા છે તેમને નોકરી મળવાની શક્યતા ઓછી છે.

કોરોનાવાઇરસ અગાઉ, યુવાનોમાં બેરોજગારી દર 11.5 ટકા જેટલો હતો. એપ્રિલ 2020માં તે આંકડો 13.8 ટકા સુધી પહોંચી ગયો હતો.કોરોનાવાઇરસના કારણે નોકરી ગુમાવનારા 600,000 લોકોમાં 35 ટકા લોકો 15થી 24 વર્ષની ઉંમરના છે.

રીપોર્ટના સહ લેખક અને યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના સેન્ટર ફોર સોશિયલ ઇમ્પેક્ટના પ્રોફેસર પૌલ ફ્લાટાઉએ જણાવ્યું હતું કે વર્ષના અંત સુધીમાં યુવાનોમાં બેકારીનો દર વધે તેવી શક્યતા છે. તેથી જ સરકારે યુવાનોને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો અમલમાં મૂકવાની જરૂર છે.

જોબમેકર પ્રોગ્રામ દ્વારા મદદનું અનુમાન

વડાપ્રધાન સ્કોટ મોરિસને કોરોનાવાઇરસની મહામારી બાદ નોકરીની તકોનું નિર્માણ કરવા માટે જોબમેકર પ્રોગ્રામની જાહેરાત કરી છે.

મોરિસનના જણાવ્યા પ્રમાણે, રાજ્યો અને ટેરીટરીએ તેમને અપાતા 1.5 બિલિયન ડોલરના ફંડનો ઉપયોગ કરી વિવિધ યોજનાઓ અમલમાં મૂકવી જોઇએ.

બ્રધરહૂડ ઓફ સેન્ટ લૌરેન્સ સંસ્થા યુવાનોને નોકરીની તકો મળી રહે તે માટે વિવિધ ટ્રેનિંગ પૂરી પાડે છે. સંસ્થાના ટ્રાન્સિસન ટુ વર્ક પ્રોગ્રામ (Transition to Work program) ને કેન્દ્ર સરકારનું ફંડ પ્રાપ્ત થાય છે.

સંસ્થાને સૈલી જેમ્સે જણાવ્યું હતું કે બે અઠવાડિયામાં આ યોજનામાં ભાગ લેનારાની સંખ્યામાં 51 ટકાનો વધારો નોંધાયો છે. સમગ્ર દેશમાં 9000 યુવાનો ટ્રાન્સિસન ટુ વર્ક પ્રોગ્રામ અંતર્ગત વિવિધ પ્રકારની ટ્રેનિંગ લઇ રહ્યા છે.

જે આગામી સમયમાં તેમને નોકરી મેળવવામાં મદદરૂપ બનશે તેમ જેમ્સે ઉમેર્યું હતું.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Follow us on Facebook.


2 min read

Published

Updated

By Biwa Kwan, Marnie Vinall

Presented by SBS Gujarati

Source: SBS




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now