Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

દક્ષિણ ભારતીય પરંપરામાં નવરાત્રીની ઉજવણી

દક્ષિણ ભારતમાં નવરાત્રીની ઉજવણી આપણા ગુજરાતીઓ કરતા તદ્દન અલગ રીતે થાય છે. અહીં નાની નાની પ્રતિમાઓ શણગારીને પૂજા -અર્ચના સાથે ઉત્સવ ઉજવાય છે.

Navratri

Source: Latha Raja

વિશ્વભરમાં માં શક્તિની આરાધના કરતા ઉજવતો ઉત્સવ છે નવરાત્રી. નવ દિવસ ચાલનારા આ તહેવારમાં દેવીના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતીઓ વડે ઉજવવમાં આવતી નવરાત્રી કરતા દક્ષિણ ભારતમાં થતી ઉજવણી અલગ છે.

દક્ષિણ ભારતની ઉજવણીની પ્રથામાં કોઈ નિશ્ચિત થીમ આધારિત નાની - નાની મૂર્તિઓ ને એકી સંખ્યામાં ચડતા ક્રમમાં ગોલુ (સીડી) પર ગોઠવવામાં આવે છે. 

ગોલુ (સીડી)ના પગથિયાં આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. આ પગથિયાં એ નિર્વાણ તરફ જવાનું પ્રતીક છે.  સૌથી ઉપરના પગથીયાઓ પર ભગવાનની, દેવી -દેવતાઓની  નાની   પ્રતિમા રખાય છે. જયારે નીચેના પગથિયાં પર મનુષ્ય, પશુ ,પક્ષી, ફળ -ફૂલની મૂર્તિઓ મુકવામાં આવે છે.  વચ્ચેના ભાગમાં કોઈ થીમ મુજબ મૂર્તિઓની ગોઠવણી હોય છે પણ તેમાં મોટાભાગે મનુષ્યની રોજબરોજ ની  ઘટનાઓનું પ્રતીક હોય છે.

નવરાત્રીની દરરોજ સાંજે માતાજીની આરતી અને પૂજા કરવામાં આવે છે, હલ્દી કુમકુમ કરવામાં આવે છે, કુમારિકાને ભેટ આપી જમાડવામાં આવે છે. સાગા સંબંધીઓ અને મિત્રો એકબીજાને નવરાત્રીની વધામણી પણ આપે છે.

નવરાત્રી માટે ગોલુની સજાવટ એ પરિવાર માટે  ખુશીનો પ્રસંગ છે, આ સજાવટની પ્રથા ક્યાંક નાતાલ ના ક્રિસ્મસટ્રી ની સજાવટ થી મળતી આવે છે.

આ રહી કેટલીક તસવીરો નવરાત્રીમાં સજાવેલા ગોલુ (સીડી)ની:

pooja
Source: Maha Ganapati Temple of Arizona
pooja
Source: Penmai Facebook
pooja
Source: Latha Raja


1 min read

Published

Updated

By Harita Mehta, Shami Sivasubramanian



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now