SKIP TO MAIN CONTENT

જાણીએ કેવી રીતે એક મહારાજાએ 1000 જેટલા પોલિશ બાળકો અને મહિલાઓની જીંદગી સંવારી

દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન નવાનગરના મહારાજા દિગ્વિજયસિંહે પોલેન્ડના શરણાર્થીઓ અને અનાથ બાળકો માટે તેમના ઘર થી દૂર એક ઘર આપ્યું. "A Little Poland in India" ડોક્યુમેન્ટરી આ જાજરમાન ઐતિહાસિક ઘટનાની ઝાંખી કરાવે છે.

Maharaja Digvijaysinhji Ranjitsinhji Jadeja with Polish kids
Maharaja Digvijaysinhji Ranjitsinhji Jadeja with Polish kids. Source: YouTube

1 min read

Published

Updated

By Harita Mehta



Skip to article content

ગુજરાતના નવાનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહે દ્વિતીય વિશ્વયુદ્ધ  દરમિયાન ભારત પોતે આઝાદ ન હતું છતાંય લગભગ 1000 જેટલા પોલિશ શરણાર્થીઓ ને આશરો આપ્યો. આ શરણાર્થીઓ  અહીં વર્ષ 1942 થી 1946 સુધી માન  અને આઝાદી સાથે રહ્યા.  બાલાછડીના કેમ્પ માં રહેલ શરણાર્થીઓના દિલ માં હજુય  આ કથા જીવંત છે.

ભારત -પોલેન્ડના ઐતિહાસિક સંબંધ પે બનેલ દસ્તાવેજી ફિલ્મ 'A Little Poland in India' એ બાલાછડીમાં રહેલ પોલિશ શરણાર્થીઓની અહીં ગુજારેલ જીવનની ઝાંખી કરાવે છે. પોલેન્ડના વોરસો માં સ્થાયી થયેલ આ ઉંમરલાયક શરણાર્થી તેમના "ઘર " જામનગર સાથે જોડાયેલ લાગણીભરી યાદો - વાતો અહીં વહેંચે છે.

બાપુ તરીકે પણ ઓળખાતા જામ સાહેબની છત્રછાયા માં તેમને મળેલ પ્રેમ , સવેંદનશીલતા અને સુરક્ષા એ તેમના અહીં રહેવાસના 4 વર્ષોને જીવનના સોનેરી વર્ષો બનાવી દીધા.

અહીંના વસવાટ અને પ્રેમ થી તેમના બદલાઈ ગયેલ જીવનને યાદ કરતા કરચલીવાળા ચહેરા પર સ્મિત આવે છે, થાકેલી આંખોમાં ચમક દેખાય છે. આ વાર્તા છે 'A Little Poland in India'ની.

 


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now