સ્માર્ટકેન : પ્રજ્ઞાચક્ષુ ધરાવતા લોકો માટે આશીર્વાદ

વર્ષ 2017ની રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ છે - વિકલાંગ લોકો માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી. તો આજે જાણીએ આઈ આઈ ટી દિલ્હીના વિદ્યાર્થીઓ વડે પ્રજ્ઞાચક્ષુ લોકો માટે બનાવાયેલ સ્માર્ટકેન વિષે.

Blind Person Crossing Street

Source: iStockphoto

વર્ષ 2011ની જનગણના મુજબ ભારતમાં વિશ્વના સૌથી વધુ પ્રજ્ઞાચક્ષુ (અંધ લોકો) રહે છે.  આ લોકો માટે પ્રાથમિક પડકાર છે સ્વતંત્ર  રીતે હલનચલન કરવું, શિક્ષા મેળવવી, રોજગાર મેળવવો અને આઝાદીથી જીવન જીવવું.

આજે જયારે વિજ્ઞાને પ્રગતિ કરી છે તો આઈ આઈ ટી દિલ્હીના વિદ્યાર્થીઓએ અંધલોકો સ્વતંત્રતાથી હરિફરી શકે અને તેમને ઇજા ન પહોંચે તેવા હેતુ થી તેમની સફેદ લાકડીને વિજ્ઞાનિક ટેક્નોલોજી વડે વધુ ઉપયોગી લાકડી  'સ્માર્ટ કેન' બનાવી છે.  

Blind Person Crossing Street
Blind Person Crossing Street Source: iStockphoto

મોટાભાગના પ્રજ્ઞાચક્ષુ લોકો હાથમાં સફેદ લાકડી રાખે છે. આ લાકડી થી રસ્તા પર આવનાર અવરોધ વિષે જાણી શકાય છે પરંતુ જમીનથી ઉપરના અવરોધ અંગે જાણી શકાતું નથી. જેમકે ગલીમાં ઘરની બારી ખુલ્લી હોવી, એર કનિશનરનો ભાગ, ઝાડ કે છોડની ડાળી  વગેરે. વળી તેમની સામાન્ય લાકડીથી તેઓ 1 મીટર સુધીના અંતરમાં રહેલ  અવરોધો અંગે જાણી શકે છે. આથી ઘણી વખત તેઓને ચહેરાપર કે શરીરના ઉપરના ભાગોમાં ઇજા થતી હોય છે.

fram
Source: Supplied

આ સ્માર્ટકેનમાં રહેલ સ્માર્ટચીપ ટેક્નોલોજીના કારણે અલ્ટ્રાસોનિકવૅવ બને છે જેથી અંધ વ્યક્તિના રસ્તામાં ઘૂંટણથી ઉપર, 3 મીટર જેટલા દૂર રહેલા અવરોધ અંગે પણ જાણી શકાય છે. આ પ્રકારના અવરોધ જણાતા સ્માર્ટકેન વાઈબ્રેટ થાય છે અને તેને વાપરનાર વ્યક્તિ સાવધ બને છે.

ભારતના વિવિધ ભાગોમાં સમાજસેવી સંસ્થાઓની મદદથી આંધલોકો માટે ઉપલબ્ધ સ્માર્ટકેન હવે આંતરરાષ્ટ્રીય સ્તરે અમુક દેશોમાં વિકલાંગો માટે કાર્યરત સમાજસેવી સંસ્થાઓના માધ્યમથી ઉપલબ્ધ કરવામાં આવે છે.  


2 min read

Published

By Harita Mehta



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now