1. આપણી ઉંમર પ્રમાણે આપણા મગજ ને સ્વસ્થ રાખે છે
સંખ્યાબંધ અભ્યાસ (studies) દ્વિભાષી હોવાના અને સ્વસ્થ મગજ વચ્ચે સંબંધ દર્શાવે છે. દ્વિભાષી વ્યક્તિ ને ડિમેન્શિયા અને યાદશક્તિ અંગે ની બીમારી નો ખતરો ઓછો હોય છે. દ્વિભાષી વ્યક્તિ વધતી ઉંમર ના લક્ષણો ની ઓછી અસર અને સ્વસ્થ મસ્તિષ્ક દર્શાવે છે.

2. તે બાળક ને અભ્યાસ માં પણ ઉપયોગી નીવડે છે
બાળકો ને જો નિયમિત રીતે એક થી વધુ ભાષા નું જ્ઞાન આપવામાં આવે તો તે સરળતા થી ઘન કરી શકે છે. માતૃભાષા સાક્ષરતા ક્ષેત્રે થયેલ અભ્યાસ દર્શાવે છે કે શાળા એ જતા બાળકો અન્ય ભાષા ની સૂચનાઓ એકજ ભાષા નું જ્ઞાન ધરાવતા બાળક કરતા વધુ સારી રીતે ગ્રહણ કરી શકે છે

3.તેનાથી રોજગાર ની તકો પણ વધે છે
એક થી વધુ ભાષા નું જ્ઞાન રોજગાર માટે તક વધારે છે અને વેતન પણ ઉચ્ચ અપાવે છે.

4. એક થી વધુ સંસ્કૃતિઓ થી રુબરુ કરાવે છે
માનવ અનુભવો ને સમજવા અને પોતાની જાત ને વ્યક્ત કરવા એક થી વધુ ભાષા આવડવી લાભદાયક છે. આ ઉપરાંત અન્ય સંસ્કૃતિ - સભ્યો ને જાણવા તે બારી ખોલે છે

5. દ્વિભાષી હોવાથી પોતાની ભાષા ની સમજ વધે છે અને અન્ય ભાષા શીખવી સરળ બને છે
પોતાની ભાષા સિવાય ની ભાષા શીખવા થી પોતાની ભાષા પર રિફ્લેક્ટ કરી શકાય છે અને જાણી શકાય છે કે ભાષાઓ કેવી રીતે કામ કરે છે. જ્યારે વ્યક્તિ બે ભાષા શીખે છે ત્યારે ત્રીજી ભાષા શીખવી ખૂબ સરળ બની જાય છે

દ્વિભાષી હોવાના વધુ ફાયદાઓ જાણવા મુલાકાત લ્યો ELT.
શું આપ જાણો છો કે UNESCO નું માનવું છે કે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આ સદી માં 6000 થી વધુ બોલાતી ભાષાઓ લુપ્ત થઈ જશે
વિશ્વ ની લુપ્ત થવાના જોખમ નો સામનો કરતી ભાષા અંગે જાણવા UNESCO ની world’s endangered languages ની મુલાકાત લ્યો.
Share

