યોગ કરવાની શરૂઆત કરનારાઓ માટે : વીરભદ્રાસન

એક માન્યતા મુજબ વીરભદ્રાસન વડે કરવામાં આવ્યું હતું. આ આસનનો અર્થ 'વીર' એટલે હીરો, યોદ્ધા, સાહસી , બળવાન વ્યક્તિ ; 'ભદ્ર' એટલે મિત્ર, સુંદર , પવિત્ર અને 'આસન' એટલે યોગ્ય મુદ્રા -પોસ્ચર સાથે બેસવું. યોગાચાર્ય ભાવિન મહેતા જણાવે છે વીરભદ્રાસન કેવી રીતે કરવું અને તેના લાભ અંગે.

Virbhadrasana

Source: By lululemon athletica (Flickr: Wunder Groove Crop, Warrior II) [CC BY 2.0 (http://creativecommons.org/licenses/by/2.0)], via Wikimedia Commons

કોઈપણ પ્રકારના આસનમાં "સ્થિરા સુખમ આસનં" જરૂરી છે. આ વાતનો મતલબ છે કે આસાન કરતી વખતે વ્યક્તિ જે -તે મુદ્રા કે પોસ્ચરમાં હોય તેમાં અનુકૂળ, સ્થિર અને ખુશ રહે. વીરભદ્રાસનમાં આ બાબતો સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે.

આસન કેવી રીતે કરશો ?

  • સૌ પ્રથમ શરીર ટટ્ટાર કરી ઉભા રહો.  બંને પગ 3-4 ફિટ પહોળા કરવા.
  • જમણા પગને 90 ડિગ્રી બહાર કાઢો અને ડાબા પગને 15 ડિગ્રી જેટલો અંદરની બાજુ રાખો .
  • શ્વાસ લેતા બંને હાથને સીધા -જમીનની સમાન્તર કરો.
  • શ્વાસ છોડતા છોડતા જમણી બાજુ જોતા, જમણા પગને ઘૂંટણથી સહેજ વળવાનું છે.
  • આ સ્થિતિને 30 સેકન્ડ જેટલી રાખવી અને 3-4 વખત ઊંડા શ્વાસ લ્યો.
  • હવે આ સ્ટેપ્સ ડાબા પગ સાથે ડાબી બાજુ કરવા.
  • આખી પ્રક્રિયા 3 થી 6 વખત રિપીટ કરવી.

વીરભદ્રાસનના ફાયદા

  • પગ અને પગનીઘૂંટીને મજબૂત કરવા માટે.
  • છાતી, ફેફસા, ખભ્ભા અને ગ્રોઇન્સને મજબૂતી આપે છે.
  • પાચનતંત્રને સુધારે છે અને એબ્ડોમીનલ અંગોને સક્રિય રહેવામાં મદદ કરે છે.
  • શક્તિ વધારે છે. 
  • કમરનો દુખાવો દૂર થાય છે.
  • ગર્ભવતી મહિલા માટે સારી કસરત છે.( કોઈપણ આસન કરતા પહેલા આપના ડોક્ટરની સલાહ લેવી)
  • ઓસ્ટીઓપોરોસીસ, સીધા પંજા, કર્પલ ટનલ સિન્ડ્રોમ, વ્યંધત્વ જેવી સમસ્યાઓમાં પણ આ આસન ઉપયોગી છે.
  • આ એક આરામદાયક મુદ્રા છે જેથી શાંતિ, સાહસ અને શુભ અનુભૂતિ થાય છે.

2 min read

Published

Updated

By Harita Mehta




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now