કેનબેરા ખાતે નિશુલ્ક સંસ્કૃત ભાષાના વર્ગોમાં હિમાંશુભાઈ પોટા તેમના વિદ્યાર્થીઓ સાથે સંસ્કૃતમાં વાર્તાલાપ કરતા જોવા મળશે. વિશ્વ સંસ્કૃત દિવસ (૨૬ ઓગસ્ટ ૨૦૧૮) નિમિત્તે વ્યવસાયે એન્જીનીયર અને સંશોધક, સંસ્કૃતભાષાના જાણકાર હિમાંશુભાઈ, સંસ્કૃત જાણવા અને શીખવાના મહત્વ વિષે વાત કરી રહ્યા છે. સાથે અન્ય ભાષાઓ કરતા સંસ્કૃત ભાષા કઈ રીતે જુદી પડે છે તે પણ જણાવી રહ્યા છે. તેમનું માનવું છે કે સંસ્કૃત જાણવાથી અને વાપરવાથી દુનિયા જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે એટલે ભારતીય મૂળ ના બાળકો માટે માતૃભાષા શીખવાથી પણ વધુ ઉપયોગી છે સંસ્કૃત ભાષા શીખવી.
Follow SBS Gujarati on Facebook.
Share






