ભારતીય મૂળની સ્ત્રીઓમાં સ્તનના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે કારણ કે તેઓ નિયમિત મેમોગ્રામ માટે નથી જતા. તે માટે તેમની છોછ જવાબદાર હોય કે પછી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે નિષ્કાળજી, પણ સ્તન કેન્સર માટે એકાદ બ્લડ ટેસ્ટ હોત તો શું વધુ મહિલાઓ સમયસર, નિયમિત નિદાન કરાવશે? સ્તન કેન્સર રીસર્ચ વિષે ધાર્મિકા મિસ્ત્રીએ નીતલ દેસાઈ સાથે કરેલ વાર્તાલાપ.