'આપણે સાથે કામ શરૂ કરીએ ને સાથે પાર પાડીએ એ સહિયારાપણું એટલે જ સાહિત્ય', કહે છે ગુજરાતી સાહિત્ય પરિષદના નવા અધ્યક્ષ સિતાંશુ યશશ્ચન્દ્ર. ફિલ્મ 'માયા મૅમસાબ' ના પટકથાકાર, કવિ, નાટ્યકાર, અનુવાદક, વિવેચક અને શિક્ષણકાર એવા વિશ્વપ્રસિદ્ધ સાહિત્યકાર સિતાંશુયશશ્ચન્દ્ર સમજાવે છે સાહિત્ય પરિષદ અને એનાં કાર્યો વિષે, અને આગળ વાત કરે છે કઈ રીતે વિદેશમાં વસતા ગુજરાતીઓ એનો હિસ્સો બની શકે એ અંગે. અને છેલ્લે વહેંચે છે એમની ગમતી કવિતા 'સમુદ્ર' આપણા સૌ સાથે.
Share






