SBS Gujarati સાથેની વાતચીતમાં સિડનીનાં ડો. નિર્ઝરી પંડિતે સેલ્ફ-આઈસોલેશન અને કવૉરન્ટીન વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. અને, કોરોનાવાઇરસની સ્થિતીમાં વ્યક્તિએ કઈ બાબતો વિષે ખાસ સજાગ રહેવું અને મુશ્કેલી જણાય તો ક્યાં અને કેવી રીતે સંપર્ક કરવો તે અંગે માહિતી આપી હતી.
મંગળવાર બપોરથી, જે લોકો વિદેશથી આવ્યા હોય અથવા કોરોનાવાઇરસ ધરાવતી વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય અને તેમને લક્ષણો જણાતા હોય તેમણે 14 દિવસની અંદર પોતાનો ટેસ્ટ કરાવવો જરૂરી છે.
જો તમને તેમ લાગતું હોય કે તમને વાઇરસની અસર છે, તો તમારા ડોક્ટરને ફોન કરો, તેમની મુલાકાત ન લો અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનને 1800 020 080 પર સંપર્ક કરો.
જો તમને શ્વાસ લેવામાં અથવા મેડિકલ સહાયની જરૂર જણાય તો (000) પર ફોન કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






