જે કુટુંબના સંતાનોને શારીરિક કે માનસિક અક્ષમતા આજીવન હોય તે કુટુંબોને અનેક પ્રકારે સપોર્ટ પૂરો પડે છે સમર્પણ કેરર ગ્રુપ. આ ભગીરથ કાર્યની શરૂઆત ઉદયભાઈ અને પારૂલબેન શાહે અન્ય કેટલાક વાલીઓ સાથે મળીને કરી હતી. ઉદયભાઈ અને પારૂલબ્હેને તેમના દીકરા સચિન સાથેના અનુભવને બીજાની મદદ કરવા માટેની સંસ્થામાં ફેરવી નાખ્યા છે. અને આ વર્ષે યોજાનાર City2Surfની ૧૪ કી.મી. ની દોડમાં ઉદયભાઈ સમર્પણ નું પ્રતિનિધિત્વ કરશે. સમર્પણ કેવી રીતે લોકોના જીવન બદલી રહ્યું છે અને તમે તેમાં ભાગ લઇ શકો ? આવો જાણીયે ઉદયભાઈ શાહ પાસેથી.
Share
