ક્રિકેટમાં 'બાયો-સિક્યોર' બબલ એટલે શું, જાણો IPL રેફરીના અનુભવો

Indian cricketers Rishabh Pant (L) and Rohit Sharma during a bio - bubble ahead of World Test Championship final in England.

Indian cricketers Rishabh Pant (L) and Rohit Sharma during a bio - bubble ahead of World Test Championship final in England. Source: Rohit Sharma/Twitter

વર્તમાન સમયમાં ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લેતી ટીમના ખેલાડીઓ તથા સ્ટાફને કોવિડ-19ના કારણે 'બાયો-સિક્યોર' બબલ હેઠળ રાખવામાં આવે છે. 'બાયો-સિક્યોર' બબલમાં રહેવાના અનુભવો તથા નિયમો વિશે ક્રિકેટ નિષ્ણાત પ્રકાશ ભટ્ટે SBS Gujarati સાથે વાત કરી હતી.


ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે જ્યાં તે ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમશે ત્યાર બાદ ઇંગ્લેન્ડ સામે દ્વિપક્ષીય શ્રેણીમાં ટકરાશે. 

ભારતીય ક્રિકેટર્સનું કોવિડ-19ના કારણે લાગૂ કરવામાં આવેલું બાયો-સિક્યોર બબલ (ક્વોરન્ટાઇન સમય) 12મી જૂનથી પૂરું થશે.

આ સમય દરમિયાન ભારતીય ટીમના તમામ ખેલાડીઓ અને સ્ટાફ 3 દિવસ સુધી સ્ટેડિયમમાં જ બનાવવામાં આવેલા ક્વોરન્ટાઇન રૂમમાં રહ્યા હતા. અને તેમને ભોજન તથા અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. 

તેમના 3 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અને તમામ રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેમને મેદાનમાં પ્રેક્ટિસ કરવાની છૂટ આપવામાં આવી હતી. અને, તેમની હલનચલન પર વિશેષ નજર રાખવામાં આવી હતી. 

ભારતીય પુરુષ ટીમની સાથે મહિલા ટીમ પણ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે અને તે પણ આ પ્રકારે ક્વોરન્ટાઇન હેઠળ રહી હતી.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now