ઓસ્ટ્રેલિયાથી ભારત માટે વધુ ફ્લાઇટ્સની જાહેરાત

વંદે ભારત મિશનના ત્રીજા તબક્કામાં ઓસ્ટ્રેલિયાથી ભારત વચ્ચે વધુ આઠ ફ્લાઇટ્સ ઉડશે.

India extends flight ban

Source: Wikimedia/mitrebuad

ઓસ્ટ્રેલિયાથી ભારત પરત જવા માંગતા લોકો માટે એર ઇન્ડિયાએ વધુ આઠ ફ્લાઇટ્સની જાહેરાત કરી છે.

શનિવારે સાંજે એર ઇન્ડિયાએ પોતાના ટ્વિટર એકાઉન્ટના માધ્યમથી તેની જાહેરાત કરી હતી.

ઓસ્ટ્રેલિયાના સિડની અને મેલ્બર્ન શહેરથી ભારતના વિવિધ શહેરો માટે ફ્લાઇટ ઉડશે.

ત્રીજા તબક્કામાં આઠ ફ્લાઇટ્સ

એર ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે, વંદે ભારત મિશનના ત્રીજા તબક્કામાં ઓસ્ટ્રેલિયાના સિડની અને મેલ્બર્નથી 1થી 14મી જુલાઇ દરમિયાન ભારત માટે આઠ ફ્લાઇટ્સ ઉડશે.

એર ઇન્ડિયાની વેબસાઇટ પરથી જ ટિકીટનું બુકિંગ કરવામાં આવશે.

28મી જૂનથી બુકિંગનો પ્રારંભ

એર ઇન્ડિયાએ ટ્વિટર પર આપેલી માહિતી પ્રમાણે, 28મી જૂન 2020થી ભારત માટેની ખાસ ફ્લાઇટ્સના બુકિંગનો પ્રારંભ થશે.

ભારતીય સમય પ્રમાણે બપોરે 12.00 વાગ્યે (ઓસ્ટ્રેલિયન સમય પ્રમાણે સાંજે 4.30 વાગ્યાથી) એર ઇન્ડિયા પર બુકિંગ કરાવી શકાશે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Follow us on Facebook.


1 min read

Published

By SBS Gujarati

Source: SBS




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now