અમદાવાદ સ્થિત કીડનીના નિષ્ણાત ડો એચ.એલ. ત્રિવેદીને તબીબી ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કાર થી નવાજ્યા છે .ડો ત્રિવેદીનો સિદ્ધાંત - દર્દી સેવા એ જ પ્રભુ સેવા , તેમના કાર્યો માં છલકે છે . મુત્રપિંડના રોગોની સારવાર માટે એક મોટી સંસ્થા તેમણે અમદાવાદ માં સ્થાપી છે , જ્યાં સંશોધનના અનેક પ્રોજેક્ટ ચાલે છે અને હવે તેને યુનિવર્સીટી પણ બનાવવા માં આવી છે . ડો ત્રિવેદી તેમની સફળતાની ચાવી વિષે, નિષ્ફળતાનો સામનો કેવી રીતે કર્યો તે વિષે વાત કરે છે . વાર્તાલાપ દરમ્યાન એક રસપ્રદ કિસ્સો પણ જણાવ્યો જયારે મોરારી બાપુ સાથેની વાત-ચિત માં થી કરોડો રૂપિયા ઉભા કરવાનું પ્રયોજન થયું .ગરવા ગુજરાતી ડો એચ.એલ.ત્રિવેદીની ભવેન કચ્છી એ લીધેલ મુલાકાત .
Share





