ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ જેમના આર્થિક સુધારાઓએ ભારતને વૈશ્વિક પાવરહાઉસ બનાવ્યુ હતું , તેમનું 92 વર્ષની વયે અવસાન થયું છે.
સિંઘને ગુરુવારે તેમના ઘરે બેહોશ થયા બાદ નવી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેઓ સભાન થઈ શક્યા ન હતા અને સ્થાનિક સમય અનુસાર રાત્રે 9.51 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, એમ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના નિવેદનમાં જણાવાયું હતું.
તેમના નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ X પર શોક વ્યક્ત કર્યો હતો.
ભારતની લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાના નિધન પર X સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શોક વ્યક્ત કર્યો હતો
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.
તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.





